એક બપોર હરનીશ જાની ની સાથ

ન્યુ જર્સી ના જાણીતા લેખક શ્રી હરનીશભાઈ જાની તેમના પત્નિ શ્રીમતિ હંસાબેન સાથે હ્યુસ્ટન મા યોજાયેલ જૈન કન્વેન્શન મા માનનિય વક્તા તરીકે આમંત્રિત હતા અને ગુજરાતી સાહિત્ય સરિતાના જાણીતા કવિ ને ગઝલકાર સુરેશભાઈ બક્ષી ની મિત્રતાને માન આપી સાહિત્યસરિતા ના મિત્રો સાથે થોડા કલાકો ગાળવાની અનુમતિ આપી જેથી સહુને એમની હાસ્ય ધારા મા વહેવાનો નો લાભ મળે.
૪થી જુલાઈ ૨૦૧૧ નો દિવસ ગુજરાતી સાહિત્ય સરિતા માટે ખાસ દિવસ બની ગયો. શ્રી સુરેશ ભાઈ બક્ષી ના આગ્રહને માન આપી શ્રી હરનીશ ભાઈ સાહિત્ય રસિકો સાથે થોડા કલાકો ગાળવા તૈયાર થયા.
સહુ મિત્રો એમની વાણી નો લાભ લેવા આતુર હતા પણ હરનીશ ભાઈ ની ઈચ્છા હ્યુસ્ટન ના કવિ મિત્રો ને પણ સાંભળવાની હતી તેથી પ્રથમ હ્યુસ્ટનના લોકલ કવિ મિત્રો એ પોતાની રચના રજુ કરી. સંચાલક સુરેશભાઈ એ એક પછી એક કવિઓ ને કૃતિ રજુ કરવા કહ્યું.
સહુ પ્રથમ નામ શૈલા બેન નુ બોલાયું. પ્રસંગ ને અનુરૂપ એમણે શાળાના બાળકોના રોજ ના નાના મોટા તોફાનો ને રમુજી પ્રસંગો ને “રોજીંદા પ્રસંગો” તરીકે આલેખ્યા હતા તેમાથી એક “નટખટ એમી” નો પ્રસંગ વાંચી સંભળાવ્યો. દેવિકા બેન ધ્રુવે પોતાની કૃતિ વાંચવાને બદલે શ્રી અશોક જાની ની એક ગઝલ ” આગળ મુકજે, પાછળ મુકજે, કાવ્ય લખેલા કાગળ મુકજે” વાંચી સંભળાવી. રસેશભાઈ દલાલે પોતાની રમુજી શૈલી મા વર્તમાન જીવનની થોડી ચિંતાઓ રજુ કરી. દા. ત.(૧) એક્ઝોન મોબીલ મા ૧૨૫ કોંગ્રેસમેન ને ફારેગ કર્યા છે. (૨) વ્હાઈટ હાઉસમા કોઈપણ રંગના માણસ રહી શકે છે. વગેરે વગેરે……. ચીમનભાઈ પટેલ જે “ચમન” ના ઉપનામથી લખે છે એમણે હાસ્ય કાવ્ય રજુ કર્યું. (રઈશભાઈ ને વિવેક ટેલર માટે) “બે હુરતીઓ આવ્યા ગામમા કોણ માનશે? અને બેઉ પાછા નીકળ્યા ડોક્ટર કોણ માનશે? ફતેહ અલીભાઈએ અશોક ચક્રધરની વ્યંગ રચના “યું તો સંસારમે સુખોકી સંખ્યા અપાર હૈ”પોતાની હળવી શૈલીમા રજુ કરી હરનીશ્ભાઈ સહિત સહુને રસ તરબોળ કરી દીધા. પ્રવિણાબેન કડકિઆ એ “ગે મેરેજ” પર એક હાસ્ય લેખ રજુ કર્યો. “છોકરો છોકરાને પરણે તો કોની વિદાય ને કોના કંકુના પગલાં ઘરમા”
આવા હાસ્યલેખ સાંભળી હરનીશભાઈ પણ વચ્ચે વચ્ચે હાસ્યના ચમકારા સંભળાવતાં હતા. અમારા પીઢ કવિ ધીરૂભાઈ શાહે સરળ શૈલી મા બે નાનકડાં કાવ્ય રજુ કર્યાં. “હાસ્ય કેવું છે- હાસ્ય પ્રાતઃકાળના સૂર્ય જેવું છે” હિંમતભાઈ શાહે શ્વેત સાડીમા સ્ત્રી કેવી લાગે વિશે કાવ્ય રજુ કર્યું.
હવે શ્રોતાજન હરનીશભાઈ ને સાંભળવા તત્પર હતા અને સભાનો દોર હરનીશભાઈ એ હાથમા લીધો. એમની વાત કરવાની શૈલી અનોખી હતી. દરરોજના નાના મોટા દૈનિક વ્યવહારમા પણ હાસ્ય કેવી રીતે ઉપજી શકે તે એમની વાતો માથી જણાઇ આવતું. સહજ રીતે તેઓ પોતાના પર કે પોતાની પત્નિ પર હસી શકતા. એમની વાતોમા કદી કોઈ ત્રાહિતને ઉતારી પાડવા ની કે કોઈને માઠું લાગે એવી રીતે વ્યંગ કરવાની ભાષા જોવા ના મળી. “મહા કવિ ગુંદરમ” ની વાતો બધાને હાસ્યથી તરબોળ કરી ગઈ. “સમય બદલ્યો કે નહિ” પરનો કટાક્ષ અને જો ભારત મા અમેરિકાની જેમ દર છ મહિને સમય બદલાય તો શું થાય ના વર્ણને બધાને હસી હસી ને બેવડ કરી દીધા.
હરનીશભાઈ ના પત્નિ શ્રીમતિ હંસાબેન પણ લેખિકા છે. એમણે પણ પોતાની લખાણ શૈલી નો પરચો દેખાડ્યો. તાજેતરમા ઉજવાયેલ હરનીશભાઈની ૭૦મી વર્ષગાંઠ વખતે “શતં શરદં જીવં” નો લેખ અને ઘરના હરનીશની ઓળખાણ બહુ રમુજી શૈલી મા કરાવી.હરનીશભાઈ ની કસરત કરવાની રીત જણાવી. “વાતો કરે એટલે જીભની કસરત, ઈન્ટરનેટ પર બેસે એટલે આંખ અને આંગળી ની કસરત, ડાયેટીંગ એટલે આખો દિવસ ડાયેટીંગ પણ જમતી વખતે નો ડાયેટીંગ……. વગેરે. આવું ભાગ્યે જ જોવા મળે કે પતિ પત્નિ આમ એકબીજા પર હસી શકે અને હાસ્ય ઉપજાવી શકે.
રસેશભાઈના થોડા સવાલોના જવાબમા હરનીશભાઈએ થોડી સાહિત્યને લગતી નક્કર વાતો પણ કરી. હ્યુસ્ટન ના કવિ લેખકો એક વર્કશોપ જેવું રાખે અને દરેક વ્યક્તિ એક વાર્તા લખે જેનુ બધા વાંચીને મુલ્યાંકન કરે અને સુધારા સુચવે જેને કારણ દરેકનુ લેખન સ્તર ઊંચુ આવે.
સુરેશભાઈ અને નીરૂબેન ના સૌજન્યથી હરનીશભાઈ અને હંસાબેન સાથેની એ બપોર સલોણી બની ગઈ.
અંતમા નીરૂબેનની મહેમાનગતિ બટાટાપૌંઆ ને ચા નો રસાસ્વાદ લઈ સહુ છૂટા પડ્યા.

શૈલા મુન્શા. તા.૦૭/૦૭/૨૦૧૧

Posted in: Uncategorized Edit This

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

1 Response to એક બપોર હરનીશ જાની ની સાથ

  1. hemapatel says:

    શૈલાબેન , આપે ગુજરાતી સાહિત્ય સરિતાની બેઠકનો અહેવાલ બહુજ સરસ રીતે રજૂ કર્યો છે .
    બહુજ સુન્દર અવલોકન .

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.